જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના | Gyansetu Scholarship Scheme

જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના | Gyansetu Scholarship Scheme

શિક્ષણ વિભાગને લઈને આપણી ગુજરાત સરકાર ઘણી સજાગ છે. તેથી થોડા થોડા સમયે તે અનેક યોજનાઓ બહાર પાડે છે. તેમાંથી એક છે જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના જે હેઠળ વિદ્યાર્થીનીઓને નાણાકીય મદદ આપવામાં આવે છે.

ગુજરાતની તમામ શાળાઓમાં અભયાસ કરતી મહિલા વિદ્યાર્થીનીઓ આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય ગણાય છે. અત્યાર સુધી રાજ્યની અનેક નિશાળે જતી કન્યાઓ આ યોજનાનો લાભ લઈને આનંદિત છે.

જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

કન્યા કેળવણી માટે સરકાર ઘણી રીતે મદદરૂપ બને છે. આજના સમયમાં પણ એવા ઘણા વિસ્તારો છે જ્યાં મહિલાઓના શિક્ષણને લઈને યોગ્ય જાગૃતિનો અભાવ જોવા મળે છે.

આ યોજનાને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના પણ કહેવામાં આવે છે. જેટલી પણ વિદ્યાર્થીનીઓએ આ યોજનાનો લાભ લીધો છે તેઓ તમામ આના કારણે સંતુષ્ટ છે.

યોજના જ્યારથી શરૂ થઇ ત્યારથી જ કન્યાઓમાં અનેરો ઉત્સાહ હતો. મહિલા સશક્તિકરણ માટે પણ આ યોજના ઘણી ઉપયોગી સાબિત થઇ છે. કારણ કે આનાથી ગરીબોને રાહત પણ મળે છે.

જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજનાની પુરી માહિતી

જેટલી પણ શાળાએ જતી કન્યાઓ આ યોજનાનો લાભ ઉઠાવવા માંગતી હોય અથવા આ યોજના માટે અરજી કરવા માંગતી હોય, તો સહુ પ્રથમ આના વિશે યોગ્ય જાણકારી લઇ લેવી જરૂરી છે.

વિગતમાહિતી
યોજનાનું નામજ્ઞાનસેતુ શિષ્યવૃતિ યોજના
લાભાર્થીગુજરાતના વિદ્યાર્થીઓ (છોકરીઓ)
શૈક્ષણિક લાયકાત• ધોરણ 6-12
માન્ય અભ્યાસક્રમો• એન્જિનીયરિંગ
• ફાર્મસી
• આર્કિટેક્ચર
• એમબીએ/એમસીએ
• મેડિકલ/ડેન્ટલ
• નર્સિંગ
આવકની મર્યાદાવાર્ષિક ₹4.5 લાખ સુધી (તમામ સ્ત્રોતમાંથી)
શિષ્યવૃતિની રકમ• ટ્યુશન ફી: 50%
• મેન્ટેનન્સ એલાઉન્સ: ₹1,200 પ્રતિ માસ
પાત્રતાના માપદંડ• ગુજરાત રાજ્યના રહેવાસી
• ધોરણ 12માં ઓછામાં ઓછા 60%
• સરકાર માન્ય સંસ્થામાં પ્રવેશ
• નિયમિત વિદ્યાર્થી હોવો જરૂરી
જરૂરી દસ્તાવેજો• આધાર કાર્ડ
• રહેઠાણનો પુરાવો
• આવકનો દાખલો
• બેંક પાસબુક
• માર્કશીટ (ધોરણ 10 અને 12)
• પ્રવેશ પત્ર
• ફી રસીદ
• કોલેજ આઈડી કાર્ડ
અરજી પ્રક્રિયા• www.digitalgujarat.gov.in પર ઓનલાઇન અરજી
• નવું રજિસ્ટ્રેશન કરાવવું
• પ્રોફાઇલ અપડેટ કરવું
• દસ્તાવેજો અપલોડ કરવા
• ફોર્મ સબમિટ કરવું
સમયમર્યાદા• શરૂઆત: જુલાઈ/ઓગસ્ટ
• અંતિમ તારીખ: ઓક્ટોબર
નવીનીકરણ• દર વર્ષે રિન્યુ કરાવવું જરૂરી
• પાછલા વર્ષમાં 50% કે તેથી વધુ ગુણ જરૂરી
• 75% હાજરી ફરજિયાત
અન્ય શરતો• એક જ કોર્સ માટે લાભ મળશે
• અન્ય સરકારી યોજનાનો લાભ ન મળી શકે
• કોર્સ બદલવાની મંજૂરી નથી
સંપર્ક માહિતી• ટોલ ફ્રી: 1800-233-7965
• ઇમેઇલ: support-digital@gujarat.gov.in
• વેબસાઇટ: www.digitalgujarat.gov.in

મહત્વની સૂચનાઓ

સ્કીમ વિશે વધુ જાણકારી મેળવી તેના અંગેના અમુક સૂચનો જાણવા પણ જરૂરી છે. આ સૂચનાઓ થકી અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવામાં ઘણી સરળતા રહેશે. સાથે જ તમારી અરજી પ્રક્રિયાને ફગાવી દેવાને બદલે સ્વીકાર પણ કરવામાં આવશે.

  • તમામ દસ્તાવેજો સ્વપ્રમાણિત હોવા જોઈએ.
  • અધૂરી કે ખોટી માહિતી આપવાથી અરજી રદ થશે.
  • નિયમો સરકારની માર્ગદર્શિકા મુજબ બદલાઈ શકે છે.
  • શિષ્યવૃતિની રકમ સીધી વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થશે.

જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનો મુખ્ય હેતુ

ગુજરાતના મુખ્ય મંત્રી દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં વસવાસ કરતી પાછલા વર્ગની કન્યાઓ માટે આ યોજના આશીર્વાદ રૂપ છે. જે હેઠળ બાળકીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે.

વિદ્યાર્થીની ઉચ્ચ સ્તરની અને સારી શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત કરી શકે તેવા હેતુથી આ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. યોજનાનો લાભ જે વિદ્યાર્થી લઇ રહ્યા છે તેમનું મેરીટ લિસ્ટ આમાં ધ્યાનમાં લેવાય છે.

જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજનાની પાત્રતા

અરજી પ્રક્રિયા માટે કોણ યોગ્ય છે કે નહીં તે યોજનાની પાત્રતા દ્વારા નક્કી કરવામાં આવે છે. તેથી તમારામાં નીચે દર્શાવેલા પાત્રતા માપદંડોનું હોવું અનિવાર્ય ગણાય છે.

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 12માં ઓછામાં ઓછા 60% ગુણ હોવા જરૂરી
  • માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી પાસ થયેલા હોવા જોઈએ
  • નિયમિત વિદ્યાર્થી હોવો આવશ્યક છે

રહેઠાણ અંગે

  • ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ
  • ગુજરાતનું ડોમિસાઈલ સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ

આવકની મર્યાદા

  • વાલી/પરિવારની વાર્ષિક આવક ₹4.5 લાખથી વધુ ન હોવી જોઈએ
  • તમામ સ્રોતમાંથી થતી કુલ આવક ગણવામાં આવે છે

અભ્યાસક્રમ સંબંધિત

  • સરકાર માન્ય સંસ્થામાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ
  • નીચેના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ:
  • એન્જિનીયરિંગ
  • ફાર્મસી
  • આર્કિટેક્ચર
  • એમબીએ/એમસીએ
  • મેડિકલ/ડેન્ટલ
  • નર્સિંગ

અન્ય મહત્વની શરતો

  • અન્ય કોઈ સરકારી શિષ્યવૃતિ યોજનાનો લાભ ન લેતા હોવા જોઈએ
  • સંપૂર્ણ સમયના (ફુલ ટાઈમ) વિદ્યાર્થી હોવા જોઈએ
  • કોઈપણ પ્રકારની નોકરી કરતા ન હોવા જોઈએ

રિન્યુઅલ માટેની પાત્રતા

  • પાછલા વર્ષમાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ
  • 75%થી વધુ હાજરી ફરજિયાત છે
  • કોર્સમાં નિયમિત હાજરી આપતા હોવા જોઈએ

દસ્તાવેજીકરણ

  • તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવી
  • દસ્તાવેજો સ્વપ્રમાણિત હોવા જોઈએ
  • કોઈપણ દસ્તાવેજ ખોટો સાબિત થશે તો અરજી રદ થશે

નોંધ

  • એક વખત કોર્સ પસંદ કર્યા પછી બદલી શકાતો નથી
  • માત્ર એક જ કોર્સ માટે શિષ્યવૃતિનો લાભ મળી શકે છે
  • અધૂરી કે ખોટી માહિતી આપવાથી અરજી રદ થશે
  • સરકારની માર્ગદર્શિકા મુજબ નિયમોમાં ફેરફાર થઈ શકે છે

નવી વહાલી દીકરી યોજના

જ્ઞાનસેતુ મહિલા સ્કોલરશીપ યોજનાના દસ્તાવેજો

જો કે આનો લાભ લેવા માટે પહેલા અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. અને અરજીની પ્રક્રિયામાં ડોક્યુમેન્ટ્સની હાજરી હોવી અનિવાર્ય છે તેના દ્વારા જ અરજી પ્રક્રિયા માન્ય ગણાય છે.

  • આધાર કાર્ડ
  • બેંક પાસબુકની કોપી
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • રેશનકાર્ડની નકલ
  • રહેઠાણનો પુરાવો (ભાડા કરાર/લાઇટ બિલ)
  • ગુજરાત ડોમિસાઇલ સર્ટિફિકેટ
  • ફોટો આઈડી પ્રૂફ
  • ધોરણ 10ની માર્કશીટ
  • ધોરણ 12ની માર્કશીટ
  • કોલેજ એડમિશન લેટર
  • ફી રસીદની નકલ
  • કોલેજ આઈડી કાર્ડ
  • વાર્ષિક આવકનો દાખલો
  • માતા-પિતા/વાલીની આવકનો પુરાવો
  • ઈન્કમ ટેક્સ રિટર્ન (જો લાગુ પડતું હોય તો)

નોંધ

  • તમામ દસ્તાવેજો સ્વપ્રમાણિત હોવા જોઈએ.
  • દસ્તાવેજો PDF ફોર્મેટમાં અપલોડ કરવા.
  • દરેક દસ્તાવેજની ફાઇલ સાઇઝ 256KB થી ઓછી હોવી જોઈએ.

કન્યાઓ માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના

જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપના લાભ

મોટા ભાગની સરકારી શાળાઓમાં અભ્યાસ અર્થે જતી કન્યાઓને સ્કોલરશીપ પેઠે અમુક પ્રકારની નાણાકીય સહાય મળવા પાત્ર ગણાય છે. પરંતુ આ યોજના હેઠળ વધારે રકમ પ્રાપ્ત થતી જોવા મળે છે.

યોજના વિશેના તમામ ફાયદાઓની જાણકારી નીચે વિસ્તૃત રીતે દર્શાવી છે.

(1) સારી એવી રકમ મળે છે

સ્કોલરશીપ પેઠે વિદ્યાર્થીનીઓને તેના અભ્યાસ ક્રમ કે ધોરણ અનુસાર રકમ આપવામાં આવતી હોય છે. પરંતુ મેરીટ સ્કોલરશિપમાં તેના પરિણામમાં આવેલા ટકાના આધાર પર વધારે નાણાં આપવામાં આવતા હોય છે.

આમાં મળેલા પૈસા દ્વારા કન્યાઓ પોતાની જરૂરિયાતોને સરળતા પૂર્વક પુરી કરી શકવા માટે સક્ષમ બને છે. નારીને આત્મ નિર્ભર બનાવવા તથા તેને આગળના અભ્યાસ માટે પ્રોત્સાહન મળે તે માટે આ યોજના સફળ રીતે કાર્ય કરે છે.

(2) ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય રાહત

અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેઓ ભણવામાં તો તેજસ્વી હોય છે, પરંતુ તેમનું કુટુંબ આર્થિક રીતે સમૃદ્ધ હોતું નથી. આના પરિણામે કેટલીક બાળકીઓ પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડીને જતી રહી છે આનો આંકડો પણ વધુ છે.

કન્યા ડ્રોપ આઉટ અટકાવવા તથા તેને ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય સહાય રકમ મળી રહે તે માટે આ યોજના ઉપયોગી છે. તેના દ્વારા તે પોતાના ઉચ્ચ શિક્ષણ અંગેના ખર્ચને પણ સરળતાથી ઉપાડી શકતી હોય છે.

(3) નબળા વર્ગને સહાય મળે છે

જે લોકોનો પરિવાર આર્થિક રીતે પછાત ગણાતો હોય છે. તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ યોજના આશીર્વાદ રૂપ સાબિત થઇ છે. આમાં મળતા પૈસા દ્વારા તે પોતાના માટે ગણવેશ, પુસ્તકો તથા અન્ય શિક્ષણ લક્ષી સામગ્રી લઇ શકતી હોય છે.

ગરીબી રેખા હેઠળ જીવન વિતાવી રહેલા લોકો દ્વારા આ યોજનાને ખુબ જ પ્રેમ પ્રાપ્ત થયો છે. કારણ કે આના થકી હજારો લોકોનું જીવન સુધરી ગયું છે અથવા તો તેમનામાં શિક્ષણ અંગેની જાગૃતિ વધી છે.

(4) મહિલાઓનો સાક્ષરતા દર વધે છે

એક સમય એવો હતો જયારે લોકો બાળકીઓને વધારે ભણાવવા નહોતા માંગતા. પરંતુ સમય બદલાતા બદલાવનો પવન ફુંકાતા હવે લોકો શિક્ષણને લઈને વધુ જાગૃત બન્યા છે. તેમાં પણ આવી યોજનાઓ ઘણી લાભકારી સાબિત થાય છે.

આના લીધી ગુજરાતનો સાક્ષરતા આંક પણ ઘણા અંશે ઉપર ગયો છે. મહિલાઓના શિક્ષણ દરમાં સતત વધારો નોંધાતો જાય છે. તેથી આવી સ્કીમને મહિલા લક્ષી વિકાસ યોજના પણ ગણી શકાય છે.

(5) મહિલા સશક્તિકરણ માટે ઉપયોગી

ખાસ કરીને કન્યાઓ કે મહિલાઓને કેન્દ્રમાં રાખીને બનતી ઘણી બધી યોજનાઓ નારી સશક્તિકરણ માટે ઉપયોગી ગણાય છે. આનો લાભ પણ મુખ્ય રીતે પછાત વર્ગની સ્ત્રીઓને મળવા પાત્ર ગણાતો હોય છે.

સ્ત્રી સમાનતા તથા કન્યા શિક્ષણ માટે આ યોજના ખુબ જ ઉપયોગી નીવડી છે. કન્યા છાત્રાલયોમાં અભ્યાસ કરતી બાળકીઓને પણ આનો લાભ મળે છે. જેથી તેમના પરિવારનું આર્થિક ભારણ પણ ઓછું થઇ શકે.

યોજના અંગેની મહત્વની જાણકારી

જ્ઞાનસેતુ શિષ્યવૃતિ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ શૈક્ષણિક યોજના છે. આ યોજના હેઠળ ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

આ યોજના ખાસ કરીને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદરૂપ થાય છે અને તેમના કૌશલ્ય વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. તેથી આ યોજના માટે અનેક છોકરીઓ અરજી કરવા માંગે છે.

આ યોજનાની અરજી પ્રક્રિયા અરજદાર ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે કરી શકે છે. યોગ્ય પાત્રતા માપદંડ ધરાવતી ગુજરાત રાજ્યની કન્યાઓને યોજના માટે પ્રાથમિકતા આપવામાં આવશે.

સવાલ જવાબ (FAQ)

અનેક યોજનનોની જેમ જ જ્ઞાન સેતુ સહાય યોજનાને લઈને પણ લોકોમાં અનેક પ્રશ્નો છે. તેમાંથી મુખ્ય સવાલોના જવાબ અહીં દર્શાવવામાં આવ્યા છે.

(1) જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના શું છે તેની જાણકારી આપો?

જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના એક એવી યોજના છે, જેના હેઠળ શાળાએ જતી કન્યાઓને અભ્યાસ માટે નાણાકીય સહાય પુરી પાડવામાં આવે છે.

(2) જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજનાનો લાભ કોણ લઇ શકે છે?

કલ્યાણકારી જ્ઞાનસેતુ યોજનાનો લાભ પછાત વર્ગની જરૂરિયાત વાળી કન્યાઓ લેવા માટે યોગ્ય ગણાય છે.

(3) જ્ઞાનસેતુ યોજના હેઠળ કેટલી નાણાકીય સહાય મળે છે?

જ્ઞાનસેતુ યોજના હેઠળ 1,54,000 રૂપિયા સુધીની સ્કોલરશીપ મળવા પાત્ર છે.

(4) શું આ યોજનાનો લાભ પુરુષ વિદ્યાર્થી લઇ શકે?

ના, જ્ઞાનસેતુ યોજના ફક્ત તેજસ્વી કન્યા વિદ્યાર્થીનીઓને ધ્યાનમાં રાખતા બનાવવામાં આવેલ છે. તેથી અન્ય કોઈ આનો લાભ લેવા માટે યોગ્ય ગણાય નહીં.

(5) આમાં મેરિટના આધાર પર શિષ્યવૃતિ મળે છે?

હા, જે લોકોનું નામ મેરીટ લિસ્ટમાં આવતું હશે, તેવી બાળકીઓને મેરિટના આધાર પર સહાય ફાળવવામાં આવે છે.

આશા કરુ છુ જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાની પુરી માહિતી આપવામાં સફળ રહી છુ. તો મળીએ હવે નવી પોસ્ટમાં ત્યાં સુધી ટેક કેયર.

We will be happy to hear your thoughts

Leave a reply

Vahali Dikri
Logo