પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના | PM Vidya Lakshmi Yojana

પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના | PM Vidya Lakshmi Yojana

આપણી કેન્દ્ર સરકાર કન્યા શિક્ષણ તથા કેળવણીને લઈને અત્યંત સજાગ છે. તેથી સમય સમયના અંતરે સરકાર દ્વારા અનેક શિક્ષણ લક્ષી યોજનાઓનું નિર્માણ કરવામાં આવે છે. તેમાંથી એક છે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના.

દેશની ટોચની ગુણવત્તા ધરાવતી દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં આ યોજના લાગુ પડે છે. આમઆ ટ્યુશન માટેની ફી અને અભ્યાસ ક્રમને લગતા અન્ય ખર્ચને પણ આવરી લેવામાં આવે છે.

પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના

જે બાળકીઓ ભણવામાં અત્યંત તેજસ્વી છે. પરંતુ તેઓ ગરીબ વર્ગના પરિવારથી આવે છે, અને ઉચ્ચ શિક્ષણ માટે યોગ્ય નાણાંની સુવિધા નથી. તેઓ માટે આ યોજના અત્યંત મહત્વની ગણાય છે.

જેમના કુટુંબની આર્થિક સ્થિતિ સારી ના હોય તેઓ માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના બનાવવામાં આવી છે. જો કે આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીની સારા ટકાએ પાસ થયેલી હોવી જોઈએ.

8 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબોને આમાં પ્રાથમિકતા આપવામાં આવશે. જે છોકરીઓ ઉચ્ચ શિક્ષણ કે અન્ય કોર્સ કરવામાં રુચિ ધરાવતી હોય તેઓ માટે આ લોન ખુબ જ સારી છે.

પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાની પુરી માહિતી

જેટલી પણ દીકરીઓ આ યોજનાને લઈને ઉત્સાહમાં છે, તેઓએ આના અંગેની પુરી વિગતો જાણી લેવી જરૂરી છે. આ અંગેની તમામ જાણકારી અમે નીચે ટેબલ સ્વરૂપે પ્રસ્તુત કરી છે.

વિગતમાહિતી
યોજનાનુ નામપીએમ વિદ્યાલક્ષ્મી સ્કૉલરશિપ યોજના
યોજનાનો ઉદ્દેશમહિલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પ્રદાન કરવી
લાભાર્થીઅનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અને ગરીબ મહિલા વિદ્યાર્થીઓ
શૈક્ષણિક પાત્રતા– 10મી અને 12મી પાસ
આવક મર્યાદાઓછી આવક ધરાવતા પરિવારના વિદ્યાર્થીઓ
સહાયની રકમવિદ્યાર્થી દીઠ વાર્ષિક નક્કી કરેલ રકમ
અરજી પ્રક્રિયા– ઓનલાઈન અરજી
જરૂરી દસ્તાવેજો– આવક પ્રમાણપત્ર
– જાતિ પ્રમાણપત્ર
– શાળા/કૉલેજનું પ્રમાણપત્ર
અરજી કરવાની અંતિમ તારીખદર વર્ષે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે
અરજી કઈ રીતે કરવી– સરકારી વેબસાઇટ પર ઓનલાઇન
વધુ માહિતી માટે– જિલ્લા શિક્ષણ કચેરી
– રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ

વિદ્યાલક્ષ્મી યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ પહેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ પરિવારની કન્યાઓને ઉચ્ચ શિક્ષા મેળવવામાં સહાય કરવાનો છે.

ખાસ નોંધ

અહીં દર્શાવેલી જાણકારીને સંપૂર્ણ રિસર્ચ દ્વારા તૈયાર કરવામાં આવી છે. પરંતુ સમય અનુસાર આમાં અમુક બદલાવ પણ આવી શકે છે . તેથી નીચે દર્શાવેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચવા વિનંતી.

  • આ માહિતી સામાન્ય માર્ગદર્શક તરીકે આપવામાં આવી છે.
  • વાસ્તવિક નિયમો અને શરતો માટે અધિકૃત સ્રોતોનો સંદર્ભ લેવો.
  • આ સ્કીમ વિશેની વધુ જાણકારી માટે સરકારની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.
  • આ સિવાય તમે નજીકની સરકારી કચેરીનો સંપર્ક પણ સાધી શકો છો.

શિષ્યવૃતિ સહાય યોજનાનો મુખ્ય હેતુ

પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાનો મુખ્ય હેતુ ભારતીય મહિલાઓના શૈક્ષણિક સશક્તિકરણ અને આર્થિક સ્વાવલંબન માટે એક સંપૂર્ણ પ્લેટફૉર્મ ઊભો કરવાનો છે. આ યોજનાનું મૂળ ઉદ્દેશ્ય છે.

ગ્રામીણ અને શહેરી વિસ્તારની ગરીબ અને વંચિત પરિવારોની મહિલા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સ્વપ્નોને સાકાર કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવી એ જ યોજનાનું લક્ષ્ય છે.

પ્રધાન મંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાની પાત્રતા

યોગ્ય પાત્રતા માપદંડ દ્વારા એ નક્કી થાય છે કે તમે આ યોજના માટે સક્ષમ છો કે નહીં. આ માટેના પાત્રતા માપદંડોની જાણકારી નીચે વિસ્તૃત રીતે સ્પષ્ટ કરેલી છે.

નાગરિકતા

  • ભારતીય નાગરિક
  • સ્થાયી વસવાટ ભારતમાં

વયમર્યાદા

  • 18 થી 35 વર્ષ વચ્ચેનાં

શૈક્ષણિક લાયકાત

  • 10મી/12મી પાસ
  • સ્નાતક/સ્નાતકોત્તર અભ્યાસક્રમ
  • વ્યાવસાયિક કૌશલ્ય તાલીમ

આર્થિક શરતો

  • કુટુંબનો વાર્ષિક આવક નિર્ધારિત સીમામાં
  • ગરીબી રેખા નીચે (BPL) કે EWS કુટુંબ
  • SC/ST/OBC કક્ષામાં આવતાં કુટુંબો

અન્ય પાત્રતા

  • અગાઉ કોઈ સરકારી સ્કોલરશિપ ન મળી હોય
  • શૈક્ષણિક પ્રદર્શન

વિદ્યાલક્ષ્મી સ્કોલરશીપ સહાય યોજનાના દસ્તાવેજો

યોજના માટે ઇચ્છુક કિશોરીઓ કે યુવતીને પોતાની અરજી પ્રક્રિયા પુરી કરવા માટે અમુક ચોક્કસ દસ્તાવેજોની જરૂર પડે છે. અમે આવા તમામ ડોક્યુમેન્ટ્સની સંપૂર્ણ યાદી નીચે લિસ્ટ સ્વરૂપે દર્શાવી છે.

વ્યક્તિગત દસ્તાવેજો

  • આધાર કાર્ડ (મૂળ અને ઝેરોક્સ)
  • જન્મ પ્રમાણપત્ર
  • શાળા/કૉલેજનું છેલ્લુ વર્ષનું માર્કશીટ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
  • સંપૂર્ણ સરનામાનો પુરાવો

આર્થિક દસ્તાવેજો

  • કુટુંબનું આવક પ્રમાણપત્ર
  • રેશન કાર્ડની નકલ
  • બેંક પાસબુક (પ્રથમ પાનાની)
  • જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતુ હોય તો)

શૈક્ષણિક દસ્તાવેજો

  • શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર
  • પ્રવેશ પ્રમાણપત્ર
  • શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર

બેંક સંબંધિત દસ્તાવેજો

  • બેંક ખાતા નંબર
  • IFSC કોડ
  • ઝીરો બેલેન્સ પાસબુક
  • બેંક ખાતાનો સત્યાપન પત્ર

વધારાના દસ્તાવેજો

  • સ્વઘોષણાપત્ર
  • મૂળ રહેઠાણનો પુરાવો
  • વાલીનું પરિચય પત્ર (18 વર્ષ કરતા ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ માટે)

ધ્યાન આપવાના મુદ્દાઓ

  • બધા દસ્તાવેજો ઝેરોક્સ/સ્વ-પ્રમાણિત હોવા જોઈએ
  • તમામ દસ્તાવેજો અપ-ટુ-ડેટ હોવા જોઈએ
  • મૂળ દસ્તાવેજો સાથે રાખવા

પીએમ વિદ્યા લક્ષ્મી યોજનાની અરજીની વિધિ

ગરીબ અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખતા આ યોજનાનું નિર્માણ થયું છે. ભારતીય નાગરિકતા ધરાવતી વિદ્યાર્થીનીઓ આ યોજના માટે યોગ્યતા ધરાવતી હોય છે.

સ્કીમ માટે ઇચ્છુક મહિલાઓ માટે તમામ અરજી પ્રક્રિયાને અહીં સરળ શબ્દોમાં રજૂ કરવામાં આવી છે.

પાત્રતા શરતો

  • ગુજરાત રાજ્યની વિદ્યાર્થીની
  • ધોરણ 9 થી 12 અને ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ
  • કૌટુંબિક વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી

જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • શાળા/કૉલેજનું પ્રમાણપત્ર
  • રેશન કાર્ડ
  • વાર્ષિક આવક પ્રમાણપત્ર
  • બેંક પાસબુક
  • વિદ્યાર્થીનીનો ફોટો

અરજી પ્રક્રિયા

  • ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી
  • http://www.digitalgujarat.gov.in વેબસાઈટ પર જવું
  • પોતાના મોબાઈલ નંબર પર OTP વેરીફિકેશન
  • સમસ્ત દસ્તાવેજોની ઓનલાઈન અપલોડિંગ
  • અરજીનું ઓનલાઈન ફૉર્મ ભરવું
  • અરજી જમા કરાવ્યા બાદ રસીદ/એકનૉલેજમેન્ટ સ્લીપ ડાઉનલોડ કરવી

લોન વિગતો

  • 4% વાર્ષિક વ્યાજ દર
  • ₹4 લાખ સુધીની લોન
  • 10 વર્ષનો પરત ભરવાનો સમયગાળો
  • વ્યાજ સબસિડી

અન્ય સૂચનાઓ

  • અધૂરી અરજી રદ થશે
  • દર વર્ષે નવી અરજી કરવાની રહેશે
  • કાગળોની ચકાસણી બાદ મંજૂરી
  • DBT દ્વારા સીધી બેંક ખાતામાં રકમ

પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી સહાયના લાભ

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી સ્કિમોને લોકો ખુબ જ પસંદ કરતા હોય છે. કેમ કે આના થકી અનેક ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને સહાય પ્રાપ્ત થતી હોય છે અને તેમનું જીવન ધોરણ પણ સુધરતું હોય છે.

વિદ્યાર્થીનીઓ માટે ખાસ બનાવવામાં આવેલી પ્રધાન મંત્રી વિદ્યા લક્ષ્મી યોજનાના ફાયદા નીચે મુજબ આપેલા છે.

(1) ઉચ્ચ અભ્યાસ માટે નાણાકીય રકમ

શાળા અથવા તો ઉચ્ચ અભ્યાસ મેળવવા માટે જે પણ બાળકી ઇચ્છુક હોય તેઓ માટે આ યોજના બની છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગ અને ગરીબ મહિલા વિદ્યાર્થીઓ આનો લાભ ઉઠાવી શકે છે.

દર વર્ષે અમુક નિશ્ચિત રકમ આના દ્વારા વિદ્યાર્થીના ખાતામાં જમા થાય છે. કોલેજ કે ઉચ્ચ છાત્રાલયનો અભ્યાસ પૂર્ણ કરવા માટે આ સહાય રકમ ઉપયોગી બને છે.

(2) કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે છે

પાછલા તથા અમુક વંચિત વિસ્તારોમાં રહેતી મહિલાઓ યોગ્ય રીતે શિક્ષણ મેળવી શકતી નથી. આના પરિણામે તેઓ નવા ટેક્નોલોજી વાળા જમાના સાથે સંપર્ક સાધવામાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આવી પરિસ્થિતિ ના ઉભી થાય તે માટે તમે આ યોજનાનો સહારો લઇ શકો છો. સ્કીમ મુખ્ય રીતે સામાજિક સુધારણાનું પણ કાર્ય કરે છે. કારણ કે આના થકી હજારો કન્યાઓને ઉચ્ચ શિક્ષણની સુવિધા પ્રાપ્ત થતી હોય છે.

(3) ગરીબ વર્ગને આર્થિક સહાય

નબળા વર્ગને ધ્યાનમાં રાખતા જ આ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી અગણિત મહિલા વિદ્યાર્થીનીઓ આનો લાભ મેળવી ચુકી છે. જે આના દ્વારા મળેલ સહાયથી ખુશ અને સંતુષ્ટ છે.

પીએમ વિદ્યા લક્ષ્મી યોજના થકી ગરીબ વર્ગની શાળાએ તથા ઉચ્ચ અભ્યાસ અર્થે બહાર અતિ સ્ત્રીઓને નાણાકીય સહાય મળવા પાત્ર છે. જેના થકી તે પોતાનો શિક્ષણ ખર્ચ સરળતાથી ઉઠાવી શકે છે.

યોજના અંગેની મહત્વની જાણકારી

આપણી કેન્દ્રીય સરકાર દ્વારા સંચાલિત આ યોજનાને શરૂઆતથી જ વિદ્યાર્થીઓનો ઘણો પ્રેમ પ્રાપ્ત થયો છે. આ લોન લઈને અનેક કન્યાઓ અત્યારે ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે.

મહિલાઓ પોતાનું ઉચ્ચ અને ગુણવત્તા યુક્ત સારી ટોપ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવાનું સપનું આ લોન દ્વારા સાકાર કરી શકે છે. તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આ લોનનો સહારો લઇ શકે છે.

આ યોજના દ્વારા તમે રૂપિયા 10 લાખ સુધીની પણ નાણાકીય લોન લઇ શકે છો. આ લોન મહિલા વિદ્યાર્થી માટે બની છે તેથી આમ અત્યંત ઓછો વ્યાજદર અને કોઈ પણ પ્રકારની ગેરંટી વિના લોન આપવામાં આવે છે.

સવાલ જવાબ (FAQ)

અન્ય યોજનાઓની જેમ જ પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી યોજનાને લઈને પણ લોકોના મનમાં અનેક સવાલો છે. તેમાંથી મુખ્ય સવાલોના જવાબ અહીં સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યા છે.

(1) પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના શું છે તેની પુરી માહિતી આપો?

પ્રધાન મંત્રી વિદ્યા લક્ષી યોજના એક શિક્ષણ અને લોનને લગતી સ્કીમ છે. જેના થકી દેશની મહિલાઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે છે.

(2) પીએમ વિદ્યાલક્ષ્મી યોજના દ્વારા લાભાર્થીને કેટલી નાણાકીય રકમ પ્રાપ્ત થાય છે?

પીએમ વિદ્યા લક્ષ્મી યોજના દ્વારા લાભાર્થીને કુલ 10 લાખ રૂપિયા જેટલી સહાય રકમ મળતી હોય છે. જો કે લોન તેના અભ્યાસના ખર્ચ તથા શૈક્ષણિક સંસ્થા કે કોર્સ અનુસાર મળે છે.

(3) PM Vidhyalakshmi Yojna માટે કોણ અરજી કરવા માટે યોગ્ય ગણાય છે?

આ યોજના માટે ગરીબ વર્ગની તેજસ્વી વિદ્યાર્થીનીઓ યોગ્ય ગણાય છે. તેઓ માટે જ આ યોજનાને ખાસ બનાવવામાં આવી છે.

(4) વિદ્યાલક્ષ્મી યોજનાની લોન માટે કેવી રીતે અરજી કરવી?

વિદ્યા લક્ષ્મી લોન માટે તમે ઓનલાઇન ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો.

(5) યોજના દ્વારા કન્યાઓને શું લાભ પ્રાપ્ત થાય છે?

જે બાળકીઓના પરિવાર પાસે તેના ઉચ્ચ અભ્યાસ માટે યોગ્ય કે પૂરતા નાણાં નથી હોતા. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે લોન દ્વારા નાણાકીય સહાયનો લાભ મેળવી શકે છે.

આશા કરુ છુ પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાની પુરી માહિતી સારી રીતે આપી શકી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી પણ આને જરૂર પહોંચાડો.

We will be happy to hear your thoughts

Leave a reply

Vahali Dikri
Logo